શ્રી ઋજુવાલિકા:-
બારાકર નદીને કિનારે આવેલું આ તીર્થ શ્રી મહાવીર સ્વામી નીનું કલ્યાણક સ્થળ છે. બારાકર નદી પહેલા ઋજુવાલિકાના નામે ઓળખાતી હતી. વૈશાખ સુદ દસમને દિવસે સદા બાર વર્ષની ઘોર તપશ્ચર્યા બાદ, છઠ્ઠના તપ પૂર્વક, વિજય મુર્હુતે, જામ્ભિક ગામે, શ્યામક નામના ખેડૂતના ખેતરમાં, ગોધૂલી સમયે, ગોદોહિકા આસને શ્રી મહાવીર સ્વામીએ તેમના ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો હતો અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. આ ચોવીસીના દસ અચ્છેરામાંનું એક "ભગવંતની દેશના નિષ્ફળ જવી" તે મહાવીર પ્રભુની પ્રથમ દેશના અહી થઇ હતી.
નદી કિનારા પર સ્થિત મંદિરનું દૃશ્ય અતિ રમણીય છે. આ નદીમાં ભગવાન મહાવીરની એક પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થઇ છે જેની કળા અતિ સુંદર છે જે મંદિરમાં બિરાજમાન છે. આ તીર્થ મધુબનથી શિખરજીથી 18 કિ.મી. , ગિરડી રે.સ્ટે.થી 12 કિ.મી. , મધુપુરથી 49 કિ.મી.ના અંતરે આવેલ છે.
એડ્રેસ : શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી, મુ.પો. બરાકર (ઋજુવાલિકા) બંદરકુમી , જિલ્લો - ગિરડી (બિહાર). પિન : 825108.
Post a Comment
Note: only a member of this blog may post a comment.