અયોધ્યા જે ઘણા પ્રાચીન નામો ધરાવે છે, જેવાકે - કોશલ,કોશલા,અવધ, વિનીતા, ઇક્શ્વાકુપુરી, સાકેતપૂરી. આ નગરી પાચ તીર્થંકરોના 19 કલ્યાણકોથી પાવન થયેલ છે. યુગાદિદેવ શ્રી આદિનાથના પ્રથમ ત્રણ અને બીજા,ચોથા,પાંચમા અને ચૌદમાં તીર્થંકરોના પ્રથમ ચાર કલ્યાણકોથી આ નગરીનું મહત્વ અને પવિત્રતા વધી છે.
જેમના નામ પરથી પાલીતાણા નગર વસેલું છે, તે મહાન ચમત્કારી સિદ્ધપુરુષ શ્રી પાદલીપ્ત આચાર્યની આ જન્મભૂમિ છે .નવમાં ગણધર શ્રી અચલભ્રાતાની આ જન્મભૂમિ છે.
ફૈઝાબાદથી 10 કિ.મી. દૂર આવેલી આ નગરીમાં કટારા મહોલ્લામાં શ્રી અજીતનાથ સ્વામીનું જિનાલય છે. વચ્ચે સમવસરણ અને ચારેય ખૂણામાં ચાર તીર્થંકરોના કલ્યાણકોના પ્રતિકરૂપે પાદુકાઓ છે.
Post a Comment
Note: only a member of this blog may post a comment.