નાગેશ્વર

Friday 8 March 20130 comments


કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ
પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રીયેઙસ્તુ વઃ 

રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે, રતલામથી 92 કિ.મી. અને ઉજજૈનથી 100 કિ.મી.ના અંતરે આવેલું શ્રી પાર્શ્વનાથ પ્રભુનું પરમ પાવન તીર્થ - નાગેશ્વર. અહીં પ્રભુ પાર્શ્વનાથની લીલા રંગની(જે ભૂતકાળમાં નીલ રત્નની હતી) ઊભી કાઉસગ્ગ મુદ્રામાં 1100 વર્ષ જૂની પ્રતિમા છે. આ પ્રતિમા સાડા ચૌદ ફૂટ ઉંચી છે. આજુબાજુમાં શ્રી શાંતિનાથ અને શ્રી મહાવીરસ્વામીની સાડા ચાર ફૂટ ઉંચી પ્રતિમાઓ છે.

શ્રી અભયસાગર ગણિવર્યે સરકારી કબ્જામાંથી આ જીર્ણ મંદિર છોડાવી તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અહીના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ અપ્રતિમ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનને દીક્ષા બાદ તેઓ ધ્યાનસ્થ મુદ્રાએ સાધનામાં લીન હતા ત્યારે તેમના પર કમઠે વરસાદ વરસાવીને ઉપસર્ગ કર્યો આ સમયે ધરણેંદ્ર દેવ પ્રભુની ભક્તિ નિમિત્તે કાઉસગ્ગમાં રહેલા પ્રભુને બે હાથથી ઊંચે લઇ ગયો. પરિણામે કમઠ હાર્યો અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની ક્ષમા યાચવા લાગ્યો. એક બાજુ અખૂટ પ્રભુ ભક્તિ ધરાવનાર ધરણેંદ્ર દેવ હતા. અને બીજી બાજુ પ્રભુના પ્રાણ હરવા માગનાર કમઠ હતો. પરંતુ પ્રભુની દૃષ્ટિતો બંને પર સમાન જ રહી અને પ્રભુતુલ્ય મનોવૃત્તિ સુપેરે પ્રગટ થઇ. આ પ્રસંગની શાશ્વત સ્મૃતિ માટે ધરણેંદ્રે પ્રભુ પાર્શ્વનાથની આ મૂર્તિ ભરાવી એવી કથા મળે છે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger