પ્રભુ મહાવીરના ત્રણ ગણધરો - ઇન્દ્રભૂતિ(શ્રી ગૌતમ સ્વામી ), અગ્નિભૂતિ અને વાયુભૂતિ નું આ જન્મસ્થાન છે. પ્રભુના પ્રથમ શિષ્ય ગોશાળકનો મેળાપ પણ આ સ્થળેજ થયેલો હતો. આ સ્થળ પાવાપુરી તીર્થથી 29 કિ.મી. દૂર આવેલું છે.
ચૌદમાં સૈકામાં શ્રી જીનપ્રભસુરીજીએ કુંડલપૂરને "વિવિધ તીર્થ કલ્પ"માં એક યાત્રા ધામ તરીકે દર્શાવ્યું હતું. 1565 માં શ્રી હંસોમવિજયજીએ 16 મંદિરોનો ઉલ્લેખ કર્યો હતો, જયારે પંડિત જયવિજયજીએ 1664માં 17 મંદિરોનો ઉલ્લેખ કર્યો હતો. પંડિત સૌભાગ્યવિજયજીએ 1770માં એક પ્રતીકાત્મક મંદિર અને બીજા જીર્ણ મંદિરો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં અહીં જિનમંદિરમાં મૂળનાયક શ્રી આદિશ્વર દાદા તથા શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન, પરિકર સહિતની પ્રતિમાઓ છે. શ્રી ગૌતામસ્વામીની શ્યામવર્ણની પાદુકા છે. ચારેબાજુ સુંદર ફૂલોથી સુશોભિત બગીચો છે.
Post a Comment
Note: only a member of this blog may post a comment.