ગુણિયાજી

Tuesday 27 November 20120 comments


શ્રી મહાવીર સ્વામી ભગવાનના નિર્વાણ બાદ, શ્રી ગુરુ ગૌતમસ્વામીને તેની જાણ થતા, જે સ્થળે તેમણે વિલાપ કર્યો અને વિલાપ કરતા કરતા  કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે આ પાવન સ્થળ એટલે ગુણિયાજી.

અહિયાં પહેલા ગુણશીલ નામે એક વન હતું. જેના ઉપરથી આ સ્થળનું નામ "ગુણિયાજી" પડયું છે.

અહીં પવાપુરીના જેવું જ જળમંદિર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.અહીં મૂળનાયક શ્રી ભગવાન મહાવીરસ્વામી છે અને તેમની બાજુમાં તેમના તથા તેમના પટ્ટ ગણધરના પાદુકા આવેલા છે. ચારેય ખૂણામાં આવેલી દેરીઓમાં 20 તીર્થંકર પરમાત્મા, શ્રી નેમિનાથ,શ્રી ઋષભ દેવ,શ્રી વાસુપૂજ્ય સ્વામીની ચરણ પાદુકાઓ અને શ્રી ગૌતમસ્વામીજીની 30 સે.મી. ઊંચી શ્વેત વર્ણની પદ્મસ્થાનસ્થ પ્રતિમા છે.

આ સ્થળ પાવાપુરી તીર્થથી 20 કિ.મી.ના અંતરે અને નાવદા રેલ્વે સ્ટેશનથી 3 કી.મી.ના અંતરે આવેલું છે. 
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger