ઉપરનું ચિત્ર જોઇને કંઈક યાદ આવે છે? કોશા ગણિકા અને તેની ચિત્રશાળા છે, જ્યાં ચાતુર્માસ કરીને સ્થુલિભદ્ર મુનિએ કામ ઉપર વિજય મેળવ્યો હતો.
આ કોશા ગણિકા અને તેની ચિત્રશાળા પાટલીપુત્રમાં આવેલી હતી. પાટલીપુત્ર એટલે આજનું પટના. જે હાલમાં બિહારની રાજધાની છે. પાટલીપુત્ર મગધની રાજધાની હતી.શ્રેણિક મહારાજાના પૌત્ર, ઉદયને આ નગર વી.સં. 444 પૂર્વે વસાવ્યું હતું.
સ્થુલિભદ્ર મુનિએ અહિ કોશા ગણિકાની ચીત્રશાળામાં ચાતુર્માસ કર્યું હતું. આ રીતે કામના મંદિરમાં રહીને કામને જીતવાથી તે 'કામવિજેતા સ્થુલિભદ્ર' તરીકે ખ્યાતિ પામ્યા. તેથી જ આગામી 84 ચોવીશીઓ સુધી તેમનું નામ ઝળહળતું રહેશે. રેલ્વેલાઈન પાસે આવેલાં ગુલઝાર બાગમાં એક દેરીમાં સ્થૂલિભદ્રના પગલાંની સ્થાપના કરેલી છે. આ બાગનાં સ્થળે સુદર્શન મુનિ ઉપર વ્યંતરી બનેલી અભયારાણીએ ઉપસર્ગ કર્યા હતા,અને તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. તેઓનું પણ અહિ સ્મારક બનાવેલું છે.
પટના સિટીમાં શ્રી વિમલનાથ ભગવાનનું જિનમંદિર આવેલું છે. દેરાસરના ઉપરના ખંડમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા છે.
Post a Comment
Note: only a member of this blog may post a comment.