પ્રભુ વીરનું આ વિહાર ક્ષેત્ર રહ્યું છે.પાર્શ્વ પ્રભુનો જન્મ અહી ઈ.સ. પૂર્વે નવમી શતાબ્દીમાં થયો હતો.અહી રોમઘાટ ઉપર એક મંદિર છે. જે 'શ્રી શ્વેતાંબર જૈન પંચાયતી બડા મંદિર'ના નામે પ્રસિદ્ધ છે. અહી પાર્શ્વનાથ ભગવાને પંચાગ્ની તપ તપતા કમઠ જોગીને પ્રતિબોધ આપી, કાષ્ઠ ફડાવી, બળતા નાગ-નાગણને બહાર કઢાવી નમસ્કાર મંત્ર સંભળાવી, ધરણેન્દ્ર-પદ્માવતી બનાવ્યા હતા. આ મંદિરમાં મૂર્તિઓ પ્રાચીન અને સુંદર છે.અહી કુલ નવ જિનમંદિરો છે. વારાણસીના ચાર પરા નીચે પ્રમાણે વિખ્યાત છે.
1) ભેલુપુર -
વારાણસી રેલ્વે સ્ટેશનથી લગભગ 4 કિ.મી. દૂર છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ચાર કલ્યાણકો અહીં થયા હતા.પ્રભુ પાર્શ્વનાથનું જિનમંદિર છે. જિનમંદિરમાં પાર્શ્વ પ્રભુની પ્રાચીન અને નયનરમ્ય પ્રતિમા છે.
2) ભદૈની -
ભેલુપુરથી લગભગ 1.5 કિ.મી. દૂર આવેલું છે. શ્રી સુપાર્શ્વનાથ જિનના 4 કલ્યાણકોથી આ ભૂમિ પાવન બની છે. ગંગા કિનારે વચ્છરાજ ઘાટ ઉપર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું દેરાસર છે.
3) ચંદ્રપુરી -
બનારસથી 23 કિ.મી. દૂર આવેલું આ સ્થળ આઠમા શ્રી ચંદ્રપ્રભુસ્વામીના 4 કલ્યાણકોથી પાવન બન્યું છે. આ સ્થાને શ્રી ચંદ્રપ્રભુનું જિનમંદિર અને પ્રભુની શ્વેતવર્ણી 45 સે.મી.ની પ્રતિમા સાથે પાષણની બીજી પાંચ અને ધાતુની એક પ્રતિમા છે.
4) સિંહપુરી -
વારાણસીથી 12 કિ.મી. દૂર આવેલા આ સ્થળે અગિયારમાં શ્રી શ્રેયાંસનાથનું શિખરબંધી જિનાલય છે. મૂળનાયકની 30 સે.મી. ઊંચી શ્વેતવર્ણી પ્રતિમા છે. આ પ્રભુના નિર્વાણ સિવાયના 4 કલ્યાણકો અહીં થયા છે. જિનાલયમાં સુંદર રચનાઓ ચારેય બાજુ કરવામાં આવી છે.
Post a Comment
Note: only a member of this blog may post a comment.