એક વખત જયારે પ્રભુ શ્રીમહાવીર સ્વામી દેશના આપી રહ્યા હતા ત્યારે શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે "હે પ્રભુ પ્રતિક્રમણ અને તેના ઉપકરણનો લાભ કેટલો?
પ્રભુ શ્રીમહાવીરે ઉત્તર આપ્યો :-
- 5,500 સોના મહોરો ખર્ચી શ્રી ભગવતી સૂત્ર આદિ આગમો લખાવવાથી જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય પ્રતિક્રમણની ઈચ્છા માત્રથી થાય છે.
- 5,500 ગર્ભવતી ગાયોને કતલખાનાથી છોડાવવામાં જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય એક મુહપત્તિના દાનથી બંધાય છે.
- 10 કરોડ ગાયોને કતલખાનામાંથી છોડાવતા જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય પ્રતિક્રમણનો ઉપદેશ આપવા માત્રથી બંધાય છે.
- 25,000 શિખરબંધી બાવન જિનાલયો બાંધે તેટલું પુણ્ય ચરવળાના દાન માત્રથી થાય છે.
- 1 કરોડ માસક્ષમણ અથવા 1 કરોડ પંખીના પાંજરા કરાવે તેટલું પુણ્ય 1 કટાસણાના દાન માત્રથી થાય છે.
- 88,000 દાનશાળાઓ બાંધવા જેટલું પુણ્ય એક ગુરૂવંદન કરવાથી થાય છે.
- 88,000 શિખરબંધી જિનાલયો બંધાવી એમાં 500 ધનુષ્યની કાયા પ્રમાણ રત્નમયી પ્રતિમાઓ સ્થાપે તેટલું પુણ્ય માત્ર એક ઈરિયાવહિયાથી થાય છે.
ગુડનાઈટ રાત્રી પ્રવચનો - આચાર્ય શ્રી વિજય રશ્મિરત્ન સૂરીશ્વરજી મ.સા.
Post a Comment
Note: only a member of this blog may post a comment.