ગુજરાતનું આ પ્રાચીન તીર્થ પૂર્વે "પદ્માવતી નગર" તરીકે જાણીતું હતું. ખોદકામ દરમ્યાન અહીં મળી આવેલી તૂટેલી અને ખંડેર પ્રતિમાઓ આ સ્થળની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે અને સૂચવે છે કે પૂર્વે આ સ્થળે ઘણાં જિનમંદિરો વિદ્યમાન હતા. વિ.સં. 1930 માં જયારે આ ક્ષેત્રમાં કેવળ પટેલના ખેતરમાં કુવો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે તેમાંથી મધુર ધ્વની બહાર આવી રહ્યો હતો. 4.5 ફુટ જેટલું ખોદકામ કરતાં તેમાંથી 104 સે.મી. ઊંચી પદ્માસનસ્થ અને શ્વેત વર્ણી શ્રી મલ્લીનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ મળી આવી. ત્યાર પછી એક સુંદર જિનાલય બંધાવી વિ.સં. 1943 માં મહા સુદ દસમને શુભ દિવસે શ્રી મલ્લીનાથ પ્રભુની મૂળનાયક તરીકે સ્થાપના કરવામાં આવી. આ મંદિર અતિ વિશાળ અને અતિ સુંદર છે અને તેને ત્રણ શિખરો છે. મંદિરની ભીંતો પર અદ્ભુત કોતરણી કરેલી છે.
Home
તીર્થ પરિચય
ભોંયણી
ભોંયણી
Friday 26 July 20130 comments
ગુજરાતનું આ પ્રાચીન તીર્થ પૂર્વે "પદ્માવતી નગર" તરીકે જાણીતું હતું. ખોદકામ દરમ્યાન અહીં મળી આવેલી તૂટેલી અને ખંડેર પ્રતિમાઓ આ સ્થળની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે અને સૂચવે છે કે પૂર્વે આ સ્થળે ઘણાં જિનમંદિરો વિદ્યમાન હતા. વિ.સં. 1930 માં જયારે આ ક્ષેત્રમાં કેવળ પટેલના ખેતરમાં કુવો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે તેમાંથી મધુર ધ્વની બહાર આવી રહ્યો હતો. 4.5 ફુટ જેટલું ખોદકામ કરતાં તેમાંથી 104 સે.મી. ઊંચી પદ્માસનસ્થ અને શ્વેત વર્ણી શ્રી મલ્લીનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ મળી આવી. ત્યાર પછી એક સુંદર જિનાલય બંધાવી વિ.સં. 1943 માં મહા સુદ દસમને શુભ દિવસે શ્રી મલ્લીનાથ પ્રભુની મૂળનાયક તરીકે સ્થાપના કરવામાં આવી. આ મંદિર અતિ વિશાળ અને અતિ સુંદર છે અને તેને ત્રણ શિખરો છે. મંદિરની ભીંતો પર અદ્ભુત કોતરણી કરેલી છે.
Labels:
તીર્થ પરિચય
Post a Comment
Note: only a member of this blog may post a comment.