ભોંયણી

Friday 26 July 20130 comments


ગુજરાતનું આ પ્રાચીન તીર્થ પૂર્વે "પદ્માવતી નગર" તરીકે જાણીતું હતું. ખોદકામ દરમ્યાન અહીં મળી આવેલી તૂટેલી અને ખંડેર પ્રતિમાઓ આ સ્થળની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે અને સૂચવે છે કે પૂર્વે આ સ્થળે ઘણાં જિનમંદિરો વિદ્યમાન હતા. વિ.સં. 1930 માં જયારે આ ક્ષેત્રમાં કેવળ પટેલના ખેતરમાં કુવો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે તેમાંથી મધુર ધ્વની બહાર આવી રહ્યો હતો. 4.5 ફુટ જેટલું ખોદકામ કરતાં તેમાંથી 104 સે.મી. ઊંચી પદ્માસનસ્થ અને શ્વેત વર્ણી શ્રી મલ્લીનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ મળી આવી. ત્યાર પછી એક સુંદર જિનાલય બંધાવી વિ.સં. 1943 માં મહા સુદ દસમને શુભ દિવસે શ્રી મલ્લીનાથ પ્રભુની મૂળનાયક તરીકે સ્થાપના કરવામાં આવી. આ મંદિર અતિ વિશાળ અને અતિ સુંદર છે અને તેને ત્રણ શિખરો છે. મંદિરની ભીંતો પર અદ્ભુત કોતરણી કરેલી છે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger